Akila:
Dwarka: Monday, 01 June 2015.
ગુજરાત માહિતી કમીશ્નર
દ્વારા દ્વારકા મામલતદાર એન.વી. ચાવડાને અરજદારની માહિતી આપવામાં બિનજરૂરી વિલંબ
કરાવા અંગે અંશત : દોષી માની રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. આ સમગ્ર
ઘટના ક્રમ બનવા છતાં માહિતી અધિકાર હેઠળ
ફરીયાદીએ માંગેલ માહિતી ન મળી શકતા તેની સ્થિતિ જૈસેથે જેવી થઇ છે.
પ્રાપ્પ માહિતી અનુસાર
મીઠાપુરના હિતેશ રામજીભાઇ રાઠોડ દ્વારા ગત તા. ર૧-૦૩-ર૦૧૩ના રોજ દ્વારકાના જાહેર
માહિતી અધિકારી એટલે કે મામલતદારશ્રીને માહિતી અધિકાર અન્વયે માહિતીની માંગણી
કરેલ જે અનુસંધાને મામલતશ્રી દ્વારકા દ્વારા નિયત સમય મર્યાદામાં માહિતી પુરી ન
પાડતાં છેક તા. ૧૭-૦૧-ર૦૧પના રોજ આપવામાં આવેલ, જેમાં પણ પ્રત્યુત્તરમાં
જણાવ્યું કે માહિતી અન્ય કચેરીઓ સંબંધિત હોય ત્યાંથી મેળવી લેવી.
આ અરજીને આયોગમાં
પડકારવામાં આવતાં આયોગ દ્વારા વિલંબ અંગે પુછાતા મામલતદારશ્રીએ વિલંબનું કારણ સ્ટાફની
તંગી, ચૂંટણીઓ,
પ્રોટોકોલ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ
તથા ગતિશિલ ગુજરાતની કામગીરી હોવાનું જણાવેલ. જેથીલ આયોગે માહિતી તેમની કચેરી
સંલગ્ન ન હોવા છતાં સમયમર્યાદામાં અરજદારને પ્રત્યુત્તર ન આપી શકવા બદલ અને તેમણે
વિલંબના રજૂ કરેલ કારણો સંતોષકારક ન
લાગતાં આયોગના કમીશ્નર વી.એસ.ગઢવી દ્વારા દ્વારકાના મામલતદાર એન.વી. ચાવડાને અંશતઃ
દોષી માની રૂપિયા દસ હજારનો દંડ ફટકારેલ છે. દિન-૧પમાં રકમ જમા કરવા જણાવેલ છે.