Divya Bhaskar: Ahmedabad: Monday, 17 June 2024.
પૂર્વ કુલપતિના કાર્યકાળમાં માહિતી અપાઈ નથી
ગુજરાત યુનિવર્સિટીએ ૨૦૧૦માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પાસેથી ઉઘરાવાયેલા ડેવલપમેન્ટ ફંડ તેમ જ ભૂતપૂર્વ કુલપતિએ પ્રસિદ્ધિ માટે આપેલી જાહેરાત અંગે મગાયેલી માહિતી ન અપાતા માહિતી આયોગે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. આર્ટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન પી. પી. પ્રજાપતિએ બે આરટીઆઈ હેઠળ માગેલી માહિતી યુનિવર્સિટી એ ન આપતા કુલ ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત અરજદારને આ બે આરટીઆઈ અંતર્ગત આગામી ૧૫ દિવસમાં ૧૦ હજાર વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આયોગે યુનિ. ની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે યુનિ. આરટીઆઈ એકટ તરફ બેદરકારી દાખવે છે.
ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીના કાર્યકાળમાં થયેલી આરટીઆઈમાં પ્રોપર પ્રોસેસ થઈ નથી. -ડો. એમ. એન. પટેલ, કુલપતિ,ગુજરાત યુનિવર્સિટી
પૂર્વ કુલપતિના કાર્યકાળમાં માહિતી અપાઈ નથી
ગુજરાત યુનિવર્સિટીએ ૨૦૧૦માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પાસેથી ઉઘરાવાયેલા ડેવલપમેન્ટ ફંડ તેમ જ ભૂતપૂર્વ કુલપતિએ પ્રસિદ્ધિ માટે આપેલી જાહેરાત અંગે મગાયેલી માહિતી ન અપાતા માહિતી આયોગે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. આર્ટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન પી. પી. પ્રજાપતિએ બે આરટીઆઈ હેઠળ માગેલી માહિતી યુનિવર્સિટી એ ન આપતા કુલ ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત અરજદારને આ બે આરટીઆઈ અંતર્ગત આગામી ૧૫ દિવસમાં ૧૦ હજાર વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આયોગે યુનિ. ની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે યુનિ. આરટીઆઈ એકટ તરફ બેદરકારી દાખવે છે.
ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીના કાર્યકાળમાં થયેલી આરટીઆઈમાં પ્રોપર પ્રોસેસ થઈ નથી. -ડો. એમ. એન. પટેલ, કુલપતિ,ગુજરાત યુનિવર્સિટી